Font Size
માર્ક 14:27-31
Gujarati: પવિત્ર બાઈબલ
માર્ક 14:27-31
Gujarati: પવિત્ર બાઈબલ
ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું
(માથ. 26:31-35; લૂ. 22:31-34; યોહ. 13:36-38)
27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:
‘હું પાળકને મારી નાખીશ,
અને ઘેટાંઓ નાસી જશે.’(A)
28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”
31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, “હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
Read full chapter
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International